knowledge, creative mind, Gujarat quize

Thursday, March 3, 2016

STANDARD: 6 SUBJECT: SOCIAL SCIENCE (sem-1) Part-3

                                             Part-3

STANDARD: 6                   SUBJECT: SOCIAL SCIENCE                      SEMESTER: 1



 1.       પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે? જવાબ : નકશો.

2.       કોની મદદથી જે તે પ્રદેશનું સાચું ચિત્ર જાણી શકાય છે? જવાબ :નકશાની

3.       NATMO સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ : કોલકાતામાં.

4.       NATMOનું પૂરું નામ શું છે? જવાબ : નેશનલ એટલાસ એન્ડ થીમેટીક મેપ ઓર્ગેનાઈઝેશન

5.       રંગીન નકશાઓમાં ઊંચાઈ દર્શાવવા કયો રંગ વપરાય છે? જવાબ : કથ્થાઈ

6.       રંગીન નકશાઓમાં જંગલો અને વનસ્પતિ દર્શાવવા કયો રંગ વપરાય છે? જવાબ : લીલો.

7.       રંગીન નાકશાઓમાં મેદાન પ્રદેશ દર્શાવવા કયો રંગ વપરાય છે.?જવાબ : પીળો.

8.       MAP શબ્દ મૂળ ક્યાં લેટીન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? જવાબ : MAPPA અથવા MAPPA-MUNDI

9.       ચિત્રો, વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છેજવાબ : ઇતિહાસ.

10.   તાડપત્રો અને ભોજપત્રો પર મુખ્યત્વે કઈ લીપી જોવા મળે છે? જવાબ : પાંડુ.

11.   ધાતુ કે પથ્થર પર કોતરાયેલા લેખો ક્યાં નામે ઓળખાય છે? જવાબ : અભિલેખો.

12.   શ્રી હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં આવેલી છે? જવાબ : પાટણ

13.   ડીસેમ્બર, ૨૦૦૦મા લગભગ તમામ વર્તમાનપત્રોમાં ૨૦મી સદીમાં બનેલા બનાવોની વિગતો ચિત્રો સાથે આવીહતી. જેને કયું નામ આપવામાં આવ્યુ હતું? જવાબ : મિલેનિયમ ગેલેરી.

14.   ભૂર્જ નામના વિશિષ્ઠ વૃક્ષો ક્યાં પર્વત પર થાય છે? જવાબ : હિમાલય

15.    જ્યાં અભિલેખો રાખવામાં આવ્યા છે તેને શું કહે છે? જવાબ : અભિલેખાગાર.

16.   અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે કયું સંગ્રહાલય આવેલું છે?જવાબ : આદિવાસી

17.    એલ.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી નામની સંસ્થા કયા શહેરમાં આવેલી છે? જવાબ : અમદાવાદ

18.   ભારતનું નાગરિકત્વ મેળવવાની કેટલી રીતો છે? જવાબ :

19.   ભારતમાં પરદેશીઓને કયો હક મળતો નથી? જવાબ : ચૂંટણીમા ઉભા રહેવાનો

20.   ભારતનો નાગરિક કેવા પ્રકારનો ગુનો કરે તો તે ભારતનું નાગરિકત્વ ગુમાવે છે? જવાબ : દેશદ્રોહનો

21.   ભારતીય ઉપખંડમાં આશરે કેટલા વર્ષોથી માનવવસ્તીનાં અવશેષો જોવા મળે છે? જવાબ : ૨૦ લાખ

22.   કોની શોધમાં  આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો હતો? જવાબ : ખોરાકની

23.   આદિમાનવના પ્રારંભિક જીવનની મોટા ભાગની માહિતી શેના પરથી મળે છે? જવાબ : ઓજારો

24.   માનવજીવનની  સૌથી  ક્રાંતિકારી શોધ કઈ છે? જવાબ : ચક્રની

25.    મધ્યપ્રદેશ અને દક્ષિણ-ઉત્તર પ્રદેશની ગુફાઓમાં કોના ચિત્રો જોવા મળે છે? જવાબ : જંગલી પશુઓના

26.   નદીકિનારાના પ્રદેશો ક્યાં પાષાણ યુગના લોકોના આશ્રયસ્થાનો હતા?જવાબ : લઘુ

27.   નર્મદાના ખીણપ્રદેશમા આવેલી કઈ ગુફાઓમાં આદીમાનવોનો વસવાટ હોવાના પુરાવાઓ મળ્યા છે? જવાબ : ભીમબેટકા

28.   આશરે કેટલા વર્ષ પહેલા દુનિયાના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું? જવાબ ૧૨૦૦૦

29.   પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહે છે? જવાબ : વિષુવવૃત

30.   વિષુવવૃતથી ૨૩. ઉતરે આવેલી આડી રેખાને શું કહે છે? જવાબ : કર્કવૃત્ત


http://chavdamehul58.blogspot.in

0 comments:

Post a Comment

Social Profiles

Twitter Facebook

Popular Posts

Total Pageviews

Search This Blog

Copyright © Creative Mind | Powered by Blogger
Design by Chavada Mehul | Blogger Theme by MK -